વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવ અંગે માહિતી આપવા માટે આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા અને પરમ પૂજ્ય કોઠારી મુકુંદરામદાસજીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કથામાં વિશ્વવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) વ્યાસપીઠ પર બિરાજી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દૂર-દૂરથી આવતા હજારો ભક્તોની સુવિધા માટે કોઠારીયા ધામ ખાતે વિશાળ કથા મંડપ અને ભોજન શાળાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાલમાં આ મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
