સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice President) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શન (Guidance) હેઠળ, યુવા મોરચાના અધ્યક્ષ ડો. હેમાંગ જોષી દ્વારા શુક્રવારે નવા સંગઠનાત્મક માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતમાં જય શાહને પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ જવાબદારી (Responsibility) સોંપાતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદની લહેર છવાઈ છે. ચોટીલામાં સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવી આ ઐતિહાસિક પળની ઉજવણી (Celebration) કરવામાં આવી હતી.
વર્ષોની સંગઠનાત્મક મહેનત અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે તેમને આ ઉચ્ચ પદ મળ્યું છે. મિલનસાર સ્વભાવ ધરાવતા જય શાહ હવે ગુજરાતના યુવાનોને સંગઠિત કરી નવા શિખરો સર કરશે તેવી અપેક્ષા (Expectation) સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ કાર્યકરો દ્વારા તેમને સતત અભિનંદન મળી રહ્યા છે.