ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત પ્રેમજીભાઈ લકુમને રૂપિયા 6 લાખની જરૂરિયાત હોવાથી તેમણે સ્થાનિક શખ્સ શની લામકાનો સંપર્ક કર્યો હતો.
શની લામકા અને સંજય સરૈયાએ ખેડૂતને નાણાં ઉછીના આપવાના બહાને લખાણ કરવા માટે રજિસ્ટ્રાર કચેરીએ બોલાવ્યા હતા. અહીં ખેડૂતને અંધારામાં રાખી, અંગ્રેજી લખાણ ધરાવતી ‘પાવર ઓફ એટર્ની’ પર સહી કરાવી લેવામાં આવી હતી.
ત્યારબાદ આ શખ્સોએ જમીનનો 25% હિસ્સો સુરેશ રાતડિયાને વેચાણ કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ખેડૂતે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે (1) શની લામકા, (2) સંજય સરૈયા, (3) સાક્ષી ચંદ્રેશ ગોલતર અને (4) જમીન ખરીદનાર સુરેશ રાતડિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ટોળકી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
