Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

surendranagarupdate1@gmail.com 12 June 2026
stray-dog-attack-surendranagar-krishnanagar-civil-hospital

Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગર શહેરનો મહાનગરપાલિકામાં સમાવેશ તો કરાયો છે, પરંતુ તંત્ર પાસે રખડતા કે હડકાયા શ્વાન પકડવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

અગાઉ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં 5,300 થી વધુ શ્વાન વસવાટ કરે છે. તે સમયે તંત્ર દ્વારા શ્વાનની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સર્વે પૂર્ણ થયા બાદ પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

Join Our WhatsApp Group

દરમિયાન સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક હડકાયા શ્વાને આતંક મચાવી 10 થી વધુ લોકોને બચકા ભરી લીધા છે. જેમાં શાળાએ જઈ રહેલા 3 જેટલા વિદ્યાર્થીઓ પણ આ રખડતા શ્વાનનો ભોગ બન્યા છે.

શ્વાને લોકોના હાથ, પગ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને હડકવા વિરોધી (એન્ટી-રેબિઝ) રસી આપીને જરૂરી ડ્રેસિંગ અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો દ્વારા હડકાયા શ્વાનને પકડવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીઓ તરફથી રખડતા શ્વાન પકડવા માટેની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનો બેજવાબદાર નકારાત્મક ઉત્તર મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

એકસાથે 10 થી વધુ લોકોને શ્વાન કરડવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે શ્વાન પકડવાની ટીમ બનાવવા અને જરૂરી સાધન-સામગ્રી વસાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Stray Dogs (રખડતા શ્વાન) Surendranagar Municipal Corporation

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં હવે ઓનલાઈન જનસુનાવણી: કલેક્ટર જી. એચ. સોલંકી વીડિયો કોન્ફરન્સથી સાંભળશે અરજદારોની ફરિયાદો
Next: સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી

Related News

Surendranagar Drainage Problem

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન

surendranagarupdate1@gmail.com 13 June 2026
surendranagar-ganpati-phatsar-area-fire-incident

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

surendranagarupdate1@gmail.com 12 June 2026
Surendranagar RTO Checking

સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 12 June 2026

Recent Post

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન Surendranagar Drainage Problem

સુરેન્દ્રનગરની મેગામોલ નજીક ભૂગર્ભ ડ્રેનેજના પાણી રોડ પર ભરાતા વેપારીઓ બન્યા પરેશાન

13 June 2026
મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું muli-khatdi-village-forest-department-awareness-program

મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું

13 June 2026
રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ! news

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ!

12 June 2026
સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ surendranagar-ganpati-phatsar-area-fire-incident

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

12 June 2026
સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી Surendranagar RTO Checking

સુરેન્દ્રનગરમાં RTO તંત્ર દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ કરાયું: નિયમોનો ભંગ કરતા 12 સામે કાર્યવાહી

12 June 2026
સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ stray-dog-attack-surendranagar-krishnanagar-civil-hospital

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

12 June 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add